આયુષ્માન ભારત યોજના 2025: ભારત સરકારની આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) 2025માં પણ લાખો પરિવારો માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ₹5 લાખ સુધીનું કેશલેસ આરોગ્ય કવર આપવામાં આવે છે.
PM-JAY 2025 હેઠળ દર વર્ષે ₹5 લાખ સુધીનું કેશલેસ આરોગ્ય કવર મળે છે. જાણો પાત્રતા, કાર્ડ પ્રક્રિયા, ગુજરાતમાં હોસ્પિટલોની યાદી અને 70+ નાગરિકો માટેના નવા લાભ.
આયુષ્માન ભારત યોજના 2025
ભારત સરકારની આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) 2018થી શરૂ થઈ છે અને આજે એ દેશના લાખો પરિવારો માટે આશીર્વાદ સાબિત થઈ રહી છે. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય છે – દરેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને ગુણવત્તાસભર અને મફત સારવાર ઉપલબ્ધ કરાવવી.
2025માં યોજનામાં મોટા અપડેટ્સ થયા છે, જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને આપમેળે આવરણ આપવામાં આવશે.
આ પણ વાંચો : મફત પ્લોટ યોજના ગુજરાત 2025 – મફત પ્લોટ યોજના ફોર્મ
મુખ્ય ફાયદા
- દર વર્ષે પ્રતિ પરિવાર ₹5,00,000 સુધીનું કેશલેસ કવર
- કોઈ ઉમર કે પરિવાર કદની મર્યાદા નહીં
- pre-existing બીમારીઓ કવર
- દેશભરના તમામ એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં સારવાર
- દવાઓ, ટેસ્ટ, સર્જરી, ICU બધું સામેલ
આ પણ વાંચો : Solar Rooftop Yojana 2025: મફત વીજળી યોજના, ઓનલાઈન અરજી કરો
પાત્રતા
- SECC 2011 ડેટા આધારિત પરિવારો
- ગરીબ અને રોજમજૂરી કરનાર વર્ગ
- હવે 70 વર્ષથી વધુ વયનાં નાગરિકો પણ સીધા લાભાર્થી
- અન્ય જરૂરી લાયકત માટે સત્તાવાર સાઈટ જુઓ
👉 તમારું નામ પાત્ર યાદીમાં છે કે નહીં તે જોવા માટે : pmjay.gov.in
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?
- pmjay.gov.in પર જઈ “Am I Eligible” ક્લિક કરો
- મોબાઇલ નંબર અને OTP વડે ચકાસણી કરો
- નામ લિસ્ટમાં હશે તો ગોલ્ડન કાર્ડ માટે અરજી કરો
- નજીકના CSC સેન્ટરથી કાર્ડ પ્રિન્ટ કરાવી લો
આ પણ વાંચો : Jio Recharge Plan 2025: અનલિમિટેડ ડેટા, એન્યુઅલ અને OTT ઓફર
1500થી વધુ રોગોની મફત સારવાર
આયુષ્માન ભારત યોજના (PM-JAY) હેઠળ હૃદયની એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ, કિડની ડાયાલિસિસ અને સ્ટોન સર્જરી, કેન્સરની કીમોથેરાપી-રેડિયોથેરાપી, બ્રેઇન ટ્યૂમર અને સ્ટ્રોક જેવી ન્યુરો સર્જરી, ડિલિવરી (નોર્મલ અને સીઝેરિયન), બાળકોની મોટી સર્જરી, હાડકાં-સાંધા બદલવાના ઓપરેશન, એપેન્ડિસાઇટિસ-હર્નિયા-ગૉલ બ્લેડર સર્જરી, આંખની કૅટરેક્ટ ઓપરેશન, કાન-નાક-ગળાની સર્જરી, ICU સારવાર, બર્ન ઈજાની સારવાર, પ્લાસ્ટિક સર્જરી સહિત કુલ 1,500થી વધુ પ્રકારની બીમારીઓ અને ઓપરેશન્સનું કવર મળે છે, જે દર્દીને સંપૂર્ણ કેશલેસ અને મફત ઉપલબ્ધ છે.
ગુજરાતમાં લાભ
ગુજરાતમાં દર વર્ષે લાખો પરિવારોને આયુષ્માન કાર્ડ વડે મફત સારવાર મળી રહી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવી મહાનગરોની સાથે ગ્રામિણ વિસ્તારોની મોટી હોસ્પિટલો પણ આ યોજનામાં જોડાઈ છે.
મહત્વની હોસ્પિટલ્સ (ઉદાહરણરૂપ)
- Ahmedabad Civil Hospital
- Rajkot Civil Hospital
- Vadodara SSG Hospital
- Surat New Civil Hospital
- રાજ્યભરના અનેક ખાનગી હોસ્પિટલ્સ પણ એમ્પેનલ્ડ છે
FAQs – આયુષ્માન ભારત યોજના 2025
પ્રશ્ન 1. આયુષ્માન ભારત યોજના 2025 દર વર્ષે કેટલું કવર મળે છે?
જવાબ. ₹5 લાખ સુધી, સમગ્ર પરિવાર માટે.
પ્રશ્ન 2. આયુષ્માન ભારત યોજના 2025 સારવાર ક્યાં મળી શકે?
જવાબ. દેશભરની કોઈપણ એમ્પેનલ્ડ હોસ્પિટલમાં.
પ્રશ્ન 3. pre-existing બીમારી આવરી લેવાય છે?
જવાબ. હા, તમામ જૂની બીમારીઓ કવર છે.
પ્રશ્ન 4. કાર્ડ વગર સારવાર મળશે?
જવાબ. નહીં, ગોલ્ડન કાર્ડ ફરજિયાત છે.
પ્રશ્ન 5. 70 વર્ષથી ઉપરના લોકો માટે શું ખાસ છે?
જવાબ. તેમને આપમેળે કવર મળશે
નોંધ: આ માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયા માધ્યમથી મળેલ છે, અમારો મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે, વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ અથવા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લ્યો.