---Advertisement---

મફત પ્લોટ યોજના ગુજરાત 2025 – મફત પ્લોટ યોજના ફોર્મ

On: September 7, 2025 5:30 PM
Follow Us:
center
---Advertisement---

Join WhatsApp

Join Now

મફત પ્લોટ યોજના ગુજરાત : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં મફત પ્લોટ યોજના ફોર્મ વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ.

ગુજરાત સરકારે ગરીબ અને જમીન વિહોણા પરિવારોને પોતાનું ઘર બાંધવામાં સહાયરૂપ થવા માટે “મફત પ્લોટ યોજના” (Free Plot Scheme) શરૂ કરી છે. આ યોજના હેઠળ 100 ચોરસ વારનો પ્લોટ લાભાર્થી પરિવારોને નિઃશુલ્ક આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના BPL પરિવારો માટે અમલમાં મુકવામાં આવી છે, જેથી દરેક પરિવારને પોતાનું ઘર બાંધવાની તક મળે.

મફત પ્લોટ યોજના ગુજરાત 2025

પોસ્ટ ટાઈટલમફત પ્લોટ યોજના ગુજરાત 2025
પોસ્ટ નામમફત પ્લોટ યોજના ફોર્મ
વિભાગપંચાયત વિભાગ ગુજરાત
લાભ કોને મળશે?ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
રાજ્યગુજરાત
પરિપત્ર પ્રકાશિત તારીખ30/07/2022
સત્તાવાર વેબ સાઈટpanchayat.gujarat.gov.in
અરજી પ્રકારઓફલાઈન

નોંધ : મફત પ્લોટ યોજના ગુજરાત 2025 માહિતી અમને વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ દ્વારા મળેલ છે. વધુ માહિતી માટે તમે તમારા ગામના તલાટી મંત્રી શ્રી પાસેથી માહિતી મેળવી શકો છો.

ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનો ગુજરાતમાં છૂટક છૂટક અમલ થતો હતો. પાંચ વર્ષ પૂર્વે 1 લી મે 2017ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કર્યો હતો. પંચાયત અને ગ્રામ નિર્માણ વિભાગે ગામડાઓમાં વસતા ઘરવિહોણા કુટુંબોને મહત્તમ 100 ચોરસ વાર પરંતુ, 50 ચોરસ વારથી ઓછા ક્ષેત્રફળનો નહી એમ ઘરથાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધાર ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા કહેવાયુ હતુ. આ યોજના નીચે વિના મૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે પૈકી લેન્ડ કમિટીને દર મહીનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવાયું હતું.

વિકાસ કમિશ્નરે ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.

મફત પ્લોટ યોજના ગુજરાત 2025 મુખ્ય હેતુ

  • જમીન વિહોણા પરિવારોને ઘર બાંધવા માટે જગ્યા ઉપલબ્ધ કરાવવી.
  • ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ પરિવારોના રહેણાંક પ્રશ્નો ઉકેલવા.
  • સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગને ઘર માલિકીનું સપનું પૂરું કરાવવું.

મફત પ્લોટ યોજનાના ફાયદા

  1. 100 ચોરસ વાર જમીન મફતમાં મળે છે.
  2. BPL પરિવારો પોતાનું ઘર બાંધી શકે છે.
  3. ઘર હોવાથી પરિવારને સુરક્ષા અને સ્થિરતા મળે છે.
  4. ગરીબ વર્ગના જીવન સ્તરમાં સુધારો થાય છે.
  5. ગ્રામ વિકાસને પ્રોત્સાહન મળે છે.

મફત પ્લોટ યોજના ફોર્મ

ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોંધાયેલ મજુરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે આ યોજના અમલમાં છે. અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થીએ લાભ લીધેલો છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે એ માટે તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કાર્ય છે.

મફત પ્લોટ યોજના

રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા 1972થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. મફત પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ ભાર પડ્યો છે.

મફત પ્લોટ યોજના ગુજરાત 2025 ડોક્યુમેન્ટ યાદી

આ યોજનાનો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ / પુરાવા જરૂરી છે.

  • અરજી ફોર્મ
  • રેશનકાર્ડની નકલ
  • ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ
  • SECCના નામની વિગત
  • ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત)
  • પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

1લી મે 2017ના રોજ થયેલ ઠરાવની પ્રસ્તાવના

સામાજિક-આર્થિક અને જાતિ આધારિત ગણતરી-૨૦૧૧ (SECC)ની મોજણીની વિગતોને આધારે રાજ્યમાં મકાન વિહોણા કુટુંબોને મકાન સહાયની યોજનામાં આવરી લેવા તેમજ તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં આવનાર હોય તેમજ રાજ્ય સરકારની જુદી જુદી હાઉસિંગ યોજનાઓમાં અથવા અન્ય રીતે પ્લોટ વિહોણા કુટુંબો પ્લોટ ફાળવવાની જરૂરિયાતો ધ્યાને લઇ ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનામાં ઘરથાળના મફત પ્લોટ ફાળવણી જુદી જુદી જોગવાઈઓ અંગે જરૂરિયાતલક્ષી વિચારણા કરી સર્વગ્રાહી સુધારાઓ કરવા માટેનો ઠરાવ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ઠરાવ : ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘર વિહોણા કુટુંબોને પોતાનું ઘર બનાવી શકે તે ઉમદા હેતુથી 100 ચો.વારના ઘરથાળના પ્લોટ મફત આપવાની આ યોજનામાં નીચે મુજબના સુધારા સુધારાઓ/ફેરફાર કરવાનું કાળજીપૂર્વકની વિચારણાના અંતે આથી ઠરાવવામાં આવે છે.

01/05/2017નો સંપૂર્ણ ઠરાવ નીચે બોક્સમાં લીંક આપેલ છે તે ડાઉનલોડ કરીને વાંચો.

30 જુલાઈ 2022ના રોજ થયેલ પરિપત્રનો વિષય અને સંદર્ભ

વિષય : ગ્રામ્ય વિસ્તારના ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનું ફોર્મ નિયત કરવા બાબત.

સંદર્ભ : પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક : અવસ/૧૦૨૦૧૬/૧૨૬૬(૭૭૦૯૧૮)લ તા.૦૧/૦૫/૨૦૧૭

30/07/2022નો સંપૂર્ણ પરિપત્ર નીચે બોક્સમાં લીંક આપેલ છે તે ડાઉનલોડ કરીને વાંચો.

મફત પ્લોટ યોજના ગુજરાત 2025 યોજના અરજી પ્રક્રિયા

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવી પડશે. અરજી કરવા માટે પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી શ્રીના સહી અને સિક્કા કરાવવા રહેશે.

01/05/2017નો ઠરાવ વાંચવા – મફત પ્લોટ યોજના ગુજરાત 2025અહીં ક્લિક કરો
સત્તાવાર પરિપત્રઅહીં ક્લિક કરો
ફોર્મઅહીં ક્લિક કરો

FAQs – મફત પ્લોટ યોજના ગુજરાત 2025

પ્રશ્ન 1. મફત પ્લોટ યોજના ગુજરાત 2025 હેઠળ કેટલો પ્લોટ મળે છે?

જવાબ. લાભાર્થીને 100 ચોરસ વાર (83.6 ચોરસ મીટર) જમીન મફતમાં આપવામાં આવે છે.

પ્રશ્ન 2. આ યોજના માત્ર ગ્રામ્ય વિસ્તારો માટે છે કે શહેરી વિસ્તારો માટે પણ છે?

જવાબ. આ યોજના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના BPL પરિવારો માટે જ છે.

પ્રશ્ન 3. અરજી ક્યાં કરવી પડે?

જવાબ. અરજી નજીકની ગ્રામ પંચાયત કચેરી અથવા તાલુકા વિકાસ અધિકારી (TDO) કચેરીમાં કરવી પડે છે.

પ્રશ્ન 4. કયા દસ્તાવેજો જરૂરી છે?

જવાબ. આધાર કાર્ડ, BPL કાર્ડ, આવક પ્રમાણપત્ર, નિવાસ પુરાવો, ફોટોગ્રાફ વગેરે.

પ્રશ્ન 5. શું આ યોજના 2025માં હજી પણ ચાલુ છે?

જવાબ. હા ✅, આ યોજના હાલ પણ ગુજરાત સરકાર દ્વારા અમલમાં છે.

“મફત પ્લોટ યોજના ગુજરાત” ગરીબ પરિવારોને પોતાના ઘરનું સપનું પૂરું કરવાની અનોખી તક આપે છે. 100 ચોરસ વાર જમીન ફાળવવાથી તેઓ પોતાનું ઘર બાંધી શકે છે અને પોતાની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકે છે. આ યોજના માત્ર ગરીબ વર્ગ માટે નહીં પરંતુ સમગ્ર ગ્રામ્ય વિકાસ માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment