Solar Rooftop Yojana 2025: ભારત સરકાર દ્વારા દેશભરમાં નવીનીકૃત ઊર્જાનો વ્યાપ વધારવા માટે “PM Surya Ghar Muft Bijli Yojana” શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય આ યોજના અમલીકરણમાં દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ છે. રાજ્યમાં લાખો પરિવારો પોતાના ઘરની છત પર સોલાર પેનલ સ્થાપિત કરીને વીજળી પેદા કરી રહ્યા છે અને સરકાર તરફથી મળતી સબસિડીનો લાભ લઈ રહ્યા છે.
Solar Rooftop Yojana 2025: મફત વીજળી યોજના
મુદ્દો | વિગત |
---|---|
પોસ્ટ ટાઈટલ | Solar Rooftop Yojana 2025 |
યોજનાનું નામ | PM Surya Ghar: Muft Bijli Yojana (સોલાર રૂફટોપ યોજના), મફત વીજળી યોજના |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થીઓ | ઘરેલુ મકાનમાલિકો, હાઉસિંગ સોસાયટીઓ |
મુખ્ય હેતુ | મફત વીજળી, વીજ બિલમાં બચત, નવીનીકૃત ઊર્જા પ્રોત્સાહન |
મફત વીજળી | દર મહિને 300 યુનિટ (વાર્ષિક 3,600 યુનિટ) |
અરજી પ્રક્રિયા | ઑનલાઇન pmsuryaghar.gov.in પોર્ટલ મારફતે |
જરૂરી દસ્તાવેજો | આધાર કાર્ડ, વીજ બિલ, બેંક પાસબુક, મિલકત પુરાવો |
સ્થાપિત ક્ષમતા (મે 2025 સુધી) | 1,232 MW |
સ્થાપિત સિસ્ટમ્સ (મે 2025 સુધી) | 3.36 લાખથી વધુ |
ચૂકવાયેલ સબસિડી | ₹2,362 કરોડથી વધુ (3.03 લાખ લાભાર્થીઓને) |
સોલાર રૂફટોપ યોજના 2025
સોલાર રૂફ ટોપ યોજના દ્વારા લોકો પોતાના મકાનની છત પર સોલાર પ્લેટ લગાવીને સૌર ઊર્જા દ્વારા પોતાના ઘરમાં વીજળી મેળવી શકશે. આ યોજના અંતર્ગત જે વ્યક્તિ સોલાર પેનલ સિસ્ટમ પોતાના મકાન પર લગાવે છે તેમને સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે.સરકારે નક્કી કરેલા ધોરણો મુજબ લોકોને સબસીડી આપવામાં આવે છે.સોલાર રૂફ ટોપ યોજના અંતર્ગત ઉત્પન્ન થયેલી વિજળી માંથી વીજળીનો વપરાશ કર્યા બાદ જે ઇલેક્ટ્રિસિટી વધે છે તેને વેચી પણ શકાય છે અને આનું પેમેન્ટ પણ કંપની દ્વારા ઉપભોક્તા ને ચુકવવામાં આવે છે.
સોલાર રૂફ ટોપ યોજના શુ છે?
દેશમાં સૌર યોજના ના પ્રોત્સાહન માટે સોલાર રૂફ ટોપ યોજના શરૂ કરવામાં આવી છે.કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ ને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે.ભારતમાં સૌર ઊર્જાનો જથ્થો અખૂટ છે તેથી આ ઉર્જાનો ઉપયોગ કરીને દેશમાં પ્રદુષણ નું સ્તર અને કોલસા થી ઉત્પન્ન થતી વીજળી નો ઉપયોગ ઓછો થાય અને લોકોને આર્થિક રીતે લાભ થાય એ માટે સોલાર રૂફ ટોપ યોજના (Solar Roof Top Yojana) ખુબજ મહત્વની છે.
સોલાર રૂફ ટોપ યોજનાનો ઉદ્દેશ
- રાજ્યમાં સૌર ઊર્જા ને પ્રોત્સાહન આપવું.
- હવામાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું.
- પેટ્રોલ,ડીઝલ અને કોલસા જેવા પુન:પ્રાપ્ય સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવી.
- સ્થાનિક ઉત્પાદકો ને પ્રોત્સાહન આપી આત્મ નિર્ભર ભારતનું લક્ષ્ય સિદ્ધ કરવું.
સોલાર રૂફ ટોપ યોજનાના લાભ
- સોલાર પેનલ છત પર લગાવવાથી મફત વીજળી મળશે,આ વીજળીનો ઉપયોગ ઘર વપરાશ માટે કરી શકાય છે અને લાઈટબીલ માંથી મુક્તિ મળે છે.
- ઘર વપરાશ દરમિયાન વધેલી વધારાની વીજળીને નજીકના ગ્રીડમાં વેચીને વીજ નિયમન પંચ દ્વારા નક્કી કરેલા ભાવ મુજબ કિલોવોટ પ્રમાણે ગ્રાહકોને નિયત રકમ ચુકવવામાં આવે છે.આ રકમ દ્વારા ડાયરેકટ બેંક ખાતામાં ચુકવવામાં આવશે.
- સોલાર રૂફ ટોપના ઈન્સ્ટોલેશન બાદ 5 વર્ષ સુધી એજન્સી દ્વારા પેનલનું મફત મેન્ટેનન્સ કરી આપવામાં આવશે.
- સૌર ઊર્જાના ઉપયોગ થી દેશમાં હવાનું પ્રદુષણ ઘટશે અને હરિત ઉર્જાનો ઉપયોગ વધશે.
Solar Rooftop Yojana 2025 સબસીડી
ક્રમ | સોલારરૂફટોપ સિસ્ટમ સ્થાપનની કુલ ક્ષમતા | રાજ્ય સરકારની સબસિડી કે કેન્દ્ર સરકાર તરફથી CFA |
1 | 3 કી.વો. સુધી | 40% |
2 | 3 કી.વો. થી વધુ અને 10 કી.વો. સુધી | પ્રથમ 3 કિલો વોટ 40% અને 3 કી.વો. પછીની બાકીની ક્ષમતા માટે 20% |
3 | 10 કી.વો. થી વધુ | પ્રથમ 3 કિલો વોટ 40% અને 3 કી.વો. પછીના 7 કિલો વોટ ક્ષમતા માટે 20% 10 કિલો વોટ પછીની ક્ષમતા પર સબસિડી મળશે નહી |
મફત વીજળીની સુવિધા
- દર મહિને 300 યુનિટ મફત વીજળી (વાર્ષિક 3,600 યુનિટ).
- વધારાની વીજળી ગ્રિડમાં આપીને તેના બદલામાં ક્રેડિટ મળે છે.
અરજી કરવાની પ્રક્રિયા
- ઓનલાઇન અરજી – pmsuryaghar.gov.in પોર્ટલ પર.
- જરૂરી દસ્તાવેજો – આધાર કાર્ડ, મિલકત પુરાવો, વીજ બિલ, બેંક પાસબુક.
- પ્રક્રિયા – રજીસ્ટ્રેશન → ડિસ્કોમ મંજૂરી → ઇન્સ્ટોલેશન → ચેકિંગ → સબસિડી સીધી બેંક ખાતામાં.
Solar Rooftop Yojana 2025 | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધ: સોલાર રૂફટોપ યોજનાની માહિતી માટે ઉપર આપેલ પરિપત્ર વાંચો જેમાં સંપૂર્ણ માહિતી આપેલ છે. ઉપર આપેલ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા મેળવેલ છે.
FAQs – Solar Rooftop Yojana 2025 – વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્રશ્ન 1. Solar Rooftop Yojana 2025 યોજનામાં મફત વીજળી પણ મળે છે?
જવાબ. હા, Solar Rooftop Yojana 2025 યોજના હેઠળ દર મહિને 300 યુનિટ મફત વીજળી (વાર્ષિક 3,600 યુનિટ) ઉપલબ્ધ છે.
પ્રશ્ન 2. આ યોજનાનો લાભ કોને મળે છે?
જવાબ. ઘરેલુ મકાનમાલિકો, એપાર્ટમેન્ટ / સોસાયટીઓ તથા નાના ઘરેલુ કનેક્શન ધરાવતા ગ્રાહકોને આ યોજનાનો લાભ મળે છે.
પ્રશ્ન 3. ગુજરાતમાં સોલાર રૂફટોપ માટે કેવી રીતે અરજી કરવી?
જવાબ. અરજી માટે pmsuryaghar.gov.in નેશનલ પોર્ટલ પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડે છે.
પ્રશ્ન 4. સબસિડીની રકમ ક્યારે મળે છે?
જવાબ. પેનલ ઇન્સ્ટોલેશન અને ડિસ્કોમ ચેકિંગ બાદ સબસિડીની રકમ સીધી ગ્રાહકના બેંક ખાતામાં જમા થાય છે.
પ્રશ્ન 5. સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
જવાબ. આધાર કાર્ડ, મિલકત પુરાવો, તાજેતરનું વીજ બિલ અને બેંક પાસબુકની નકલ જરૂરી છે.