પિતૃ પક્ષ 2025: 7 થી 21 સપ્ટેમ્બર સુધી. જાણો તારીખવાર શ્રાદ્ધ કલેન્ડર, વિધિ, મહત્વ અને FAQs વગેરેની ચર્ચા આ લેખમાં કરીએ. સરળ ભાષામાં કહીએ તો, પિતૃ પક્ષ એ આપણા પૂર્વજ પ્રત્યે શ્રદ્ધા, આભાર અને કર્તવ્યની અભિવ્યક્તિ છે.
પિતૃ પક્ષ, જેને શ્રાદ્ધ પક્ષ પણ કહે છે, હિંદુ પરંપરામાં અત્યંત પવિત્ર સમયગાળો માનવામાં આવે છે. દર વર્ષે ભાદરવા પૂર્ણિમા પછીથી આશ્વિન અમાવસ્યા સુધી (કુલ 16 દિવસ) આ પક્ષ મનાવવામાં આવે છે. આ સમયમાં માન્યતા છે કે આપણા પિતૃ (પૂર્વજ) પૃથ્વી પર આવતા હોય છે અને તેમના સંતાનો દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાનથી તૃપ્ત થાય છે.
પિતૃ પક્ષ 2025
હિંદુ પંચાંગ મુજબ પિતૃ પક્ષ ભાદરવા પૂર્ણિમા પછી શરૂ થાય છે અને આશ્વિન અમાવસ્યા સુધી ચાલે છે. 2025માં પિતૃ પક્ષની શરૂઆત 7 સપ્ટેમ્બર 2025 (રવિવાર) થી થઈ 21 સપ્ટેમ્બર 2025 (રવિવાર) ના રોજ મહાલયા અમાવસ્યા સાથે સમાપ્ત થશે.
આ દિવસોમાં લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે, દાન-પુણ્ય કાર્યો કરે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે. માન્યતા મુજબ, પિતૃ પક્ષ દરમિયાન કરવામાં આવેલા કાર્યોનો સીધો લાભ પિતૃઓ સુધી પહોંચે છે અને તેઓ કુટુંબ પર આશીર્વાદ વરસાવે છે.
પિતૃ પક્ષ 2025 શ્રાદ્ધ કલેન્ડર
તારીખ | દિવસ | શ્રાદ્ધ (Tithi) |
---|---|---|
7 સપ્ટેમ્બર 2025 | રવિવાર | પૂર્ણિમા શ્રાદ્ધ |
8 સપ્ટેમ્બર 2025 | સોમવાર | પ્રથમા શ્રાદ્ધ |
9 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | દ્વિતીયા શ્રાદ્ધ |
10 સપ્ટેમ્બર 2025 | બુધવાર | તૃતીયા શ્રાદ્ધ |
11 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | ચતુર્થી શ્રાદ્ધ |
12 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | પંચમી શ્રાદ્ધ |
13 સપ્ટેમ્બર 2025 | શનિવાર | ષષ્ઠી શ્રાદ્ધ |
14 સપ્ટેમ્બર 2025 | રવિવાર | સપ્તમી શ્રાદ્ધ |
15 સપ્ટેમ્બર 2025 | સોમવાર | અષ્ટમી શ્રાદ્ધ |
16 સપ્ટેમ્બર 2025 | મંગળવાર | નવમી શ્રાદ્ધ |
17 સપ્ટેમ્બર 2025 | બુધવાર | દશમી શ્રાદ્ધ |
18 સપ્ટેમ્બર 2025 | ગુરુવાર | એકાદશી શ્રાદ્ધ |
19 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર | દ્વાદશી શ્રાદ્ધ |
20 સપ્ટેમ્બર 2025 | શનિવાર | ત્રયોદશી શ્રાદ્ધ |
21 સપ્ટેમ્બર 2025 | રવિવાર | ચતુર્દશી અને અમાવસ્યા (મહાલયા શ્રાદ્ધ) |
પિતૃ પક્ષનું મહત્વ
- પિતૃ પક્ષ એ પૂર્વજો પ્રત્યે શ્રદ્ધાંજલિ આપવાનો સમય છે.
- માન્યતા છે કે આ સમયમાં પિતૃઓ પૃથ્વી પર આવે છે.
- સંતાનો દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ, તર્પણ અને દાનથી પિતૃ તૃપ્ત થાય છે.
- પિતૃ પ્રસન્ન થાય તો કુટુંબમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ-સૌભાગ્ય આવે છે.
શ્રાદ્ધ વિધિ અને નિયમો
- તર્પણ – તિલ અને જળ વડે પિતૃને અર્પણ કરવું.
- પિંડદાન – ચોખા, જૌ, તિલથી પિંડ બનાવી અર્પણ કરવું.
- બ્રાહ્મણ ભોજન – શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવીને દાન કરવું.
- દાન પુણ્ય કાર્ય – અનાજ, કપડાં, ઘી, તિલ વગેરેનું દાન કરવું.
👉 નિયમો મુજબ આ દિવસોમાં માંસાહાર, મદિરા, કટુ વાણી અને અશુભ કાર્યો ટાળવા જોઈએ.
નોંધ : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સોશિયલ મીડિયા માધ્યમથી ભેગી કરીને અહી તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. મે આની પુષ્ટિ નથી કરતા. તેથી તમે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લો.
FAQs – પિતૃ પક્ષ 2025 | શ્રાદ્ધ 2025
પ્રશ્ન 1: પિતૃ પક્ષમાં કોણ શ્રાદ્ધ કરવું જોઈએ?
જવાબ. સંતાન કે કુટુંબનો મોટો પુત્ર શ્રાદ્ધ કરે, જો ન હોય તો કોઈપણ કુટુંબ સભ્ય કરી શકે.
પ્રશ્ન 2: પિતૃ પક્ષમાં ઉપવાસ રાખવો પડે છે?
જવાબ. ફરજિયાત નથી, પણ શુદ્ધતા રાખવી જરૂરી છે.
પ્રશ્ન 3: પિતૃ પક્ષમાં શું દાન કરવું શ્રેષ્ઠ છે?
જવાબ. તિલ, ચોખા, ઘી, કપડાં અને અન્નદાન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
પ્રશ્ન 4: મહાલયા અમાવસ્યા કેમ ખાસ છે?
જવાબ. આ દિવસે તમામ પિતૃઓને સંયુક્ત શ્રાદ્ધ કરવાથી તેમને તૃપ્તિ મળે છે.